મિત્રો, આપણે જોઇએ છીએ કે ગુજરાતમાં હાલ
સ્પર્ધાત્મક પરીક્ષાઓનો રાફડો છે. અલગ-અલગ પરીક્ષાઓની જાહેરાતો, ઓજસ
વેબસાઇટ હેન્ગ, સાયબર કાફે દ્વારા ખુલ્લી લૂંટ, કોચીંગ સેન્ટરના ધંધા,
પ્રકાશનોના ગુણવત્તા વિનાના પુસ્તકો વગેરે જોતા એમ કહી શકાય કે સ્પર્ધાત્મક
પરીક્ષાઓ માટેના ધંધાની સિઝન હવે પુર બહારમાં ખીલી ઉઠી છે !
જ્યા જોઇએ ત્યાં વિદ્યાર્થીઓ માર્ગદર્શન
માટે ફાંફા મારે છે. જ્યા જોવો ત્યા બસ એક જ વાત સંભળાય છે –“તલાટીનું
મટીરિયલ ક્યાં મળશે?” –‘ચિટનીશ પરીક્ષાનું મટીરિયલ ક્યાં મળશે?”… કોઇ
પાસેથી એવુ સાંભળવા નથી મળ્યુ કે આ પરીક્ષાના સિલેબસમાં જે ગુજરાતી વ્યાકરણ
લખ્યુ છે તો તેના માટેની કોઇ શ્રેષ્ઠ પુસ્તક અથવા તે માટેની સામગ્રી ક્યાં
મળશે ??? આ એક દુઃખદ વાત છે કે વિદ્યાર્થીઓ મટીરિયલ્સ માટે “આંધળી” દોટ
મુકી સમય અને નાણા બન્નેનો વ્યય કરે છે. કારણ કે કોચીંગ સેન્ટરના લીથા અથવા
કોઇ પ્રકાશનના વર્ષોથી ચાલ્યા આવતા એક જ પુસ્તકો વાંચવાથી પાસ થઇ શકાશે
નહી.
સફળ થવા માટે જો તમારી પાસે પાયાનું જ્ઞાન
નહી હોય તો તલાટી જ નહી, કોઇપણ પરીક્ષા પાસ કરવી લગભગ “અશક્ય” છે કારણ
કે ફક્ત વૈક્લ્પિક પ્રશ્નોત્તરી વાંચી લેવાથી પાસ થઇ શકાશે નહી કારણ કે
પ્રશ્નપત્ર સેટ કરનાર વ્યક્તિ મુર્ખ નહી હોય કે તે કોઇ પુસ્તકમાંથી બેઠે
બેઠા પ્રશ્નો પુછે. તેથી દરેક મિત્રોએ આ વાતને ખાસ ધ્યાને રાખી કોઇપણ
પરીક્ષા માટે મટીરિયલ્સ શોધવાને બદલે તેના સિલેબસ અનુસાર પાયાનું જ્ઞાન
મેળવવું જોઇએ. ઉદાહરણ તરીકે જો તલાટી પરીક્ષાની વાત કરીએ તો તલાટી પરીક્ષા
અભ્યાસક્રમનો એક ટૉપીક ‘ગુજરાતી વ્યાકરણ’ છે. આ ઉદાહરણમાં વિદ્યાર્થીઓએ
તલાટી પરીક્ષાનું ગુજરાતી વ્યાકરણનું મટીરિયલ શોધવાને બદલે ગુજરાતી
વ્યાકરણનો પાયો મજબૂત કરવો જોઇએ જેથી કોઇપણ પરીક્ષામાં તે ઉપયોગી થઇ શકે. આ
જ રીતે અંગ્રેજી વ્યાકરણ, સામાન્ય જ્ઞાન, અંક ગણિત વગેરેનો પાયાનો અભ્યાસ
કરવો જોઇએ જેથી કોઇપણ પરીક્ષામાં તે ઉપયોગી થઇ શકે.
જો આ રીતે પરીક્ષાઓની તૈયારી કરવામાં આવશે
તો કોઇ પ્રકાશના પુસ્તકની અથવા કોઇ કોચીંગ સેન્ટરની જરૂર પડશે નહી કારણ કે
આપણે એટલા સક્ષમ છીએ કે પુસ્તક વાંચીને તેનું સ્વ-અધ્યયન કરી જ શકીએ.
આપ સૌની પરીક્ષા માટે શુભેચ્છાઓ...
R. I. Jadeja
0 comments: